જંગલોની આગ મામલે સુપ્રીમ કોર્ટ સખ્ત: ઉત્તરાખંડની ધામી સરકારની કાઢી ઝાટકણી, વરસાદ-ક્લાઉડ સીડિંગના ભરોસે ન રહેવાની કરી ટકોર
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan08052024_132330_Uttarakhand-wildfire.webp)
- 08 May, 2024
ઉત્તરાખંડના જંગલોમાં આગ રોકવા મુદ્દે સુપ્રીમ કોર્ટે સરકારની ઝાટકણી કાઢી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે વરસાદ અને ક્લાઉડ સીડિંગના ભરોસે આપણે હાથ પર હાથ મૂકીને બેસી ન રહેવાય. આ મુદ્દે સરકારે જ કંઈક અસરકારક પગલું ભરવું પડશે. જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ સંદિપ મહેતાની બેન્ચે સુનાવણી દરમિયાન આગની વધતી જતી ઘટનાઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને આ મુદ્દે તાત્કાલિક લગામ કસવા માટે સરકારને આદેશ આપવા જણાવ્યું હતું.
કોર્ટમાં રજૂઆત કરતા વકીલે કહ્યું હતું કે બે વર્ષ પહેલા પણ એનજીટીમાં અરજી કરવામાં આવી હતી. જોકે તેમ છતાં સરકારે અત્યાર સુધી તેના પર કોઈ કાર્યવાહી નથી કરી. તેના પગલે મારે અહીં આવવાની ફરજ પડી છે અને આ મામલો સમગ્ર ભારતનો છે. જોકે ઉત્તરાખંડ તેનાથી સૌથી વધુ પ્રભાવિત છે. સુનાવણી દરમિયાન સરકારે જંગલમાં લાગેલી આગની ઘટનાઓ અને તેને કાબુમાં લેવા અંગેની સંપૂર્ણ વિગતો કોર્ટ સમક્ષ આપી હતી.
ખંડપીઠ સમક્ષ રજૂઆત કરતા સરકારે કહ્યું હતું કે અત્યાર સુધીમાં જંગલમાં આગ લાગવાની 398 ઘટનાઓ નોંધાઈ છે. આ સિવાય 350 જેટલા ગુનાહિત કેસ નોંધાયા છે. જેમાં 62 લોકોના નામ છે. આ મામલાઓ 298 જેટલા અજાણ્યા લોકોની ઓળખ કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. અમુક લોકોને આ મામલે પૂછપરછ કરવા માટે કસ્ટડીમાં પણ લેવામાં આવ્યા છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ